!…ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા…!

ડો. ચન્દ્રવદન મિસ્ત્રી સાહેબ કે જેઓ નેટ જગતમાં એક મજાના કવિ અને સાહિત્યકાર છે, તેઓએ અનેક ભક્તિસભર રચનાઓ લખેલ છે, તેઓ નેટ જગતમાં http://chandrapukar.wordpress.com/ નામે સુંદર ભક્તિસભર બ્લોગ લખે છે. તેઓનું નેટ જગતમાં હુલામણું નામ “ પુકાર ” છે.

 તેઓ હાલ ગુજરાતના નવસારી જિલ્લાના વેસ્મા ગામે અમેરિકાથી વતનમાં પધારેલ છે. એક વહેલી સવારે અડાજણ, સુરત ખાતે મારા ઘરનો ફોન ટહુકા દેવા લાગ્યો. ડૉ. પુકાર સાહેબનો મીઠો મધુર અવાજ સાંભળી હું આનંદ વિભોર બની ગયો. ત્યારે તેમની એક સ્વરચિત રચના તેમની મંજુરી લઈ બનાવવાનો અવસર ઝડપી લઈ આપની સમક્ષ ઉપસ્થિત થવા માંગુ છું. આપના યોગ્ય પ્રતિભાવની પ્રતિક્ષા કરીશ.

!…ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા…!

ચન્દ્રને પુકારે છે, ગુજરાતની ધરતી

એમના પાવન પગલાની છે. તરસી,

ચન્દ્રએ વતન તરફ માંડી ડગલી

આખરે ભીની માટી પર પાડી પગલી,

ગુજરાત પર એમની કૃપા દ્રષ્ટિ વરસી

માયાની શીતળ છાયા વેસ્મા ગામે પાથરી,

ભુલી ગયા આખરે અમેરિકાની વાતો સઘળી

આંખોમાં ભરી લીધી ગામની યાદો હરઘડી, 

નવી હવેલી પર નજર ફેરવી

ચન્દ્ર લખે ભુરિયા ફળિયાની કથા,

બાળ રમતો લખોટી અને પાનની રમતો

કહે સ્વાતંત્ર સંગ્રામની કરામતો,

જન જનમાં ભજન મંડળની ફરી લહેર

એને તો કહેવાય ચન્દ્ર પર કુદરતની મહેર

C. M. ને છે. પુસ્તકાલયમાં પ્યાર

હા એ તો યાદ કરે માતા ખોડિયારને

વડીલ રહીશોને મસ્તક ઝુકાવી

યાદ કર્યા તળાવ અને બાલેશ્વર મંદિર,

મારી શી વિસાત કે હું ચન્દ્ર વિશે લખું

એ તો નથી કંઈ ખાવાના ખેલ

કિશોર કહે સાંભળુ હું ચન્દ્રની વાણી

જાણે થઈ પ્રભુની આકાશવાણી.

++++++++++++++++++++++++++++++++++++++++++++++

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9

!…નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

!…નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

T.V નું રિમોટ ગયું

હવે પૌત્ર-પૌત્રીના હાથમાં,

                                   નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

દીકરા-દીકરીને લીધા બાથમાં

હવે નથી કોઈ તેમના હાથમાં,

                                 નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

થાય ભેળસેળ શાકભાજી,ઘી-દૂધની કોથળીમાં

કોઈ પાસે સમય નથી તેને નાથવા,

                               નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

પૌત્રો-પૌત્રીને લઈ ગયેલા બાગમાં

તેઓ માને છે, આવ્યા દાદા-દાદી લાગમાં,

                             નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

નથી F.D / N.S.C હવે હાથમાં

જાત ઘસાઈ ગઈ તેમના વિકાસમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

નથી ફેર કોઈ વિચારોના બ્લડ ગૃપમાં

સમાજ પરિવર્તને લીધા છે. બાનમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

હવે નથી રસ કોઈને શાક-રોટલી, ભાતમાં

આખો દિ’ વિતાવે મન્ચુરિયન, આલુપૂરી, પિઝામાં 

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

સાઈકલનું સ્થાન લીધુ બાઈકે

મોબાઈલે કબજો લીધો કાનમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

પ્રભુએ નથી છોડી આશ બાળ સર્જનમાં

નાહક નિરાશ ના થા કિશોર, જીવતો રહે એજ આશમાં,

                            નથી હવે કંઈ દાદા-દાદીના હાથમાં…!

 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

(ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો ખુબ ખુબ આભાર

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત-9 

!…કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો…!

 “ ગુજરાત ગૌરવ ગાથા ” ના સંચાલક, “ ગોદદીયો ચોરો ” ના કટાર લેખક,  ” હાસ્ય દરબાર ” ના

હસમુખા એવા “ ગોપ ” તરીકે જાણીતા તથા બ્લોગ જગતમાં કવિ, લેખક તરીકેની આગવી ઓળખ ધરાવનાર

http://swapnasamarpan.wordpress.com ( પરાર્થે સમર્પણ ) આણંદ જિલ્લાના “ જેસરવા ” ગામના વતની

ઝંડાપ્રેમી “ સ્વપ્નજેસરવાકર “ તરીકે જાણીતા એવા ( હાલ લોસ એન્જલસ – અમેરિકા નિવાસી ) શ્રી. ગોવિંદભાઈ આઈ.પટેલ

પોતાના વતનમાં ત્રણ અઠવાડિયા માટે પધારનાર છે તે પ્રસંગે એક રચના મુકવાના વિચારને હું આ તબક્કે રોકી ન શક્યો

તેથી આપ સમક્ષ આવ્યો છું. મને આશા અને શ્રધ્ધા છે કે કદાચ આપને ગમશે…!     

!…કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો…!

કોઈ મારા ગોવિંદજીને સંદેશો કહેજો

આવી આપણાં દેશમાં રહેજો,

એકવાર આવો ગુજરાત

આપણે જાગીશું રાત-મધરાત,

જેસરવાના સ્વપ્નને સજાવો

મહીજીકાકાના મેળવો આશીર્વચનો,

તમો આણંદમાં આવો

આવી મારા સ્વપ્નાંનદને સજાવો,

આશા-નિરાશાની વચ્ચે છે મારૂ સ્વપ્ન

સુખ-દુખમાં મને સાચવી લેજો,

ભુલોના આ મહાસાગરમાં

રાહ ભુલુ તો, રથી બની નાવ હંકારજો,

આરતીમાં માત-પિતાનાં દર્શન કરજે

આંખોમાંથી હર્ષાશ્રુની ધારા વહેડાવજે,

 લાગ્યો તમને કવિતા જેવી સવિતાનો રંગ

જો લાવ્યા હોત સંગ, તો બેવડાતે ઉમંગ,

કાશ હર્ષદ-અવકાશને

મળવાનો આપજો અવકાશ,

ગોદડીયા ચોરે જાજો

કનુ, ભદો, નારણ શંખને મળજો 

કમલેશ-રૂપેશની જોડીને

મળીને કરજો જય જયકાર,

તમે સુરતમાં જઈ ઉધિયું ખાજો

જુનાગઢમાં જઈ ગિરનાર ગજાવજો,

અશોક-કિશોર સાથે,

શોર મચાવી, મને દર્શન દેજો

+++++++++++++++++++++++++++++++++++++++++

( રચનામાં પ્રાસ બેસાડવા માટે નામો ટૂંકમાં લખેલ છે.)

ગુગલ અને નેટ જગતનો ચિત્ર લેવા બદલ ઋણી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

!…પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે…!

!…પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે…!

પ્રાર્થના એ પ્રિમિયમ વગરનો વીમો છે,

ખરા દિલથી કરેલ પ્રાર્થનાનો વીમો જરૂર પાકે છે.

પ્રાર્થનાનો વીમો ઉતરાવવા માટે કોઈ એજન્ટની જરૂર પડ્તી નથી,

ભગવાન અને ભક્ત વચ્ચે થયેલ એક બિનશરતી કરાર છે.

પરંતુ એક કઠિન શરત એ છે કે નિ:સ્વાર્થભાવ હોવો જોઈએ,

પ્રાર્થનાનાં વીમા માટે GIC ને અરજી કરો,

યાને કે God Insuranace Corporation

આ GIC 24 x 7 દિવસ ચાલે છે, એને સમયની કોઈ પાબંદી નથી.

ભગવાન પાસે આપણી પ્રાર્થના સાંભળવાનો સમય છે, પરંતુ સવાલ એ છે કે આપણી પાસે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય છે કે નહિ.

આ વીમા કરારનો સ્વીકાર કરવો કે ન કરવો એ

God Insuranace Corporation ના હાથમાં છે.

તેનુ પ્રિમિયમ રોકડ સ્વરૂપમાં ભરવાનું નથી,

તેને ત્યાં તો વિશ્વાસ નામનો બેલેન્સ ચેકથી જ ખાતું ખોલાવવું પડે છે.

 

આ ચેક જમા કરવો કે ઉધાર કરવો તે માટે

 એ ધનરાશિનું પ્રાપ્તિસ્થાન જોવામાં આવે છે.

તેને કોઈ ખરાબ વાયરસ તો નથી લાગ્યાને,

પછી એને સ્કેન કરવામાં આવે છે,

બધા માર્કાની તપાસ કરીને જ જમા લેવામાં આવે છે.

બોગસ જણાતા ચેકો રિટર્ન કરવામાં આવે છે.  

 

આ વીમો પકવવા માટે ભગવાને કેટલાક Norms નક્કી કરેલ છે,

 જેવાં કે પ્રમાણિકતા, જીવદયા, સંયમ, સંસ્કાર, સાદગી, વિદ્યાદાન છે.

કહેવાય છે કે જેણે વિદ્યાદાન કરેલ હોય તે જ કન્યાદાન કરી શકે.

આ બધામાંય શ્રેષ્ઠ પૂજ્ય મોરારિબાપુના કહેવા મુજબ, 

“ જેના પૂર્વજોએ ગૌદાન કરેલ હોય તેને ત્યાંજ દીકરી જન્મ લે છે. ”

કર્મ વગર પ્રાર્થનાનું ફળ આ કળિયુગમાં મળતુ નથી.

આ મનુષ્ય લોકમાં પ્રભુ સ્મરણ કરવા માત્રથી પ્રભુ ફળ આપે જ છે.

આવા મજબુત આધાર સ્તંભોથી જ પ્રભુની પેઢી ચાલે છે.

જય સિયારામ ”     

++++++++++++++++++++++++++++++++++++++++++

(ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

!…સ્નેહની મિઠાશ લઈ ઉડે રે પતંગ…!

!…સ્નેહની મિઠાશ લઈ ઉડે રે પતંગ…!

ઉડે ઉડે રે પતંગ મારો ઉડે રે

ઉમંગોની છોળ લઈ ઉડે રે પતંગ,  

કાઈપોચના બુમરાણ મચાવતો ઉડે રે

પક્ષીઓને બચાવતો ઉડે રે પતંગ,

અગાસી – ધાબા પર ગીતો ગુંજે રે  

સાવચેતીમાં ના રાખશો રે ઢીલ    

અમે તો તલ – ગોળની ચીકી બનાવી રે,

સ્નેહની મિઠાશ લઈ ઉડે રે પતંગ,

નાનેરા – મોટેરાઓને સંગ ઉડે રે

સૌને સંગાથ લઈ ઉડે રે પતંગ,

ભાતૃભાવના – સ્નેહની દોરીથી ઉડે રે

ફરર ફિરકી લઈ ઉડે રે પતંગ,

સરર સરતી મુકાવતો ઉડે રે

લપેટ લપેટના ઘોંઘાટે ઉડે રે પતંગ,

પાપડી – ઉધિયાની મજા માણતો ઉડે રે

મજાની કૉમેન્ટ માંગતો ઉડે રે પતંગ 

 

+++++++++++++++++++++++++++++++++++++++++

 ( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.

ડૉ કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,

પાલનપુર પાટિયા, રાંદેરરોડ, સુરત-9

!…એજ છે, આજ પ્રભુનું ફરમાન રે…!

!…એજ છે, આજ પ્રભુનું ફરમાન રે…!

દીકરા – દીકરીને ગણજો સમાન

એજ છે આજ પ્રભુનું ફરમાન રે,

નારીને તું આપજે સમ્માન

ના કરશો કદી અપમાન રે,

નવલા નૂતનવર્ષમાં હકારાત્મક બનીએ

હકારાત્મક બની, સ્વાસ્થ્ય સુધારીએ રે,

પર્યાવરણનું કરીએ દિલથી જતન

વતનને ભાવથી આદર આપીએ રે,

વડીલો અને ગુરૂજીને નમન કરીને

સૌના આશીર્વચનો મેળવીએ રે,

ભ્રષ્ટાચારથી દુર રહીને

આચાર-વિચાર સુધારીએ રે

નૂતનવર્ષમાં “ ગુડ લક ”  કહીને

“ વેલકમ ” નો સંદેશો મોકલીએ રે,

પ્રેમની પ્રસાદી વહેંચીને

ભાઈચારો ફેલાવીએ રે,

મિત્રોને કોમેન્ટ આપીને

સૌને “ વેલકમ ”  કરીએ રે

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. ) 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!…BREAKING NEWS…!

!…કોઈ કહે હવે જોઈએ છે યંગ…!

જુઓ રાજકારણીઓના રંગ

કેટલાય દિન થાય સભા-ગૃહ ભંગ

જુઓ કેટલા બદલાય તરંગ

હવે જરૂર આવશે રંગ,

લોકો થઈ ગયા છે તંગ

ભ્રષ્ટાચાર નાબુદીનો છે ઉમંગ,

કોઈ કહે હવે જોઈએ છે યંગ

 એક બીજા પર છોડે બાણ વ્યંગ,

પ્રજાએ માંડ્યો છે જંગ

છે કોઈના કામમાં ઢંગ,

બેઈમાનના છે નંગે નંગ

ઈમાનદારી સાથે જોડો સંગ,

+++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.)  

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

 

 

!…પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ…!

!…પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ…!

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

યશોદા મૈયાએ મમતાથી બાંધ્યા

 વૃંદા તે વનમાં, રાધા-ગોપીઓએ બાંધ્યા

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

નરસૈયાએ, કેદારે કૃષ્ણને બાંધ્યા

મીરાએ ભક્તિરસથી, બાંધ્યા રણછોડને

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

સુદામાએ, મિત્રતાના દોરે બાંધ્યા

વિદુરજીની ભાજીએ, કર્યા કિસનને રાજી

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

પાંડવોએ, ધર્મના ધાગે બાંધ્યા

 ભક્ત બોડાણાએ, નથણીએ બાંધ્યા

પ્રેમની પાંપણે બાંધુ કે ભક્તિના તાંતણે બાંધુ

મારે પણ શામળિયાને બાંધવા છે.

કિશોર કહે, શામળિયાના ભક્તોને

મારે પણ યોગી બની,

કર્મયોગથી શામળિયાને બાંધવા છે.

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો   હું  ઋણી છું. )  

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!…શિક્ષણ સરોવરના તૃતીય વર્ષના મંગલ પ્રવેશે….!

આજના મંગલ પ્રભાતે તૃતીય વર્ષમાં પ્રવેશતા આપ સૌના સથવારે મળેલ

195 પોસ્ટ પર 761 જેટલા મંગલભાવો તથા 54162 મુલાકાતીઓને વધાવતા

વિશ્વ સફરથી આપ સૌના ચરણોમાં એક નવતર કૃતી રજુ કરી આપનો અહોભાવ વ્યક્ત

કરતાં ડૉ. કિશોર પટેલ અંતરની ઉર્મિઓમાં આનંદની લાગણી અનુભવે છે.

!…શિક્ષણ સરોવરના તૃતીય વર્ષના મંગલ પ્રવેશે….!

  

“ ઋષિ ચિંતન ” થી શરૂ થયેલ

“ ગાયત્રી જ્ઞાનપ્રસાદી ” સ્વરૂપે

મારા “ સ્વપ્ન ” ની

 “ વાંચનયાત્રા ” માં

“ બગીચાના માળી ” એ

મારી “ ફૂલવાડી ” નું જતન કરી

સુંદર “ શબ્દ સેતુ ” જોડીને

“ આકાશદીપ ” માથી

ચન્દ્રની “ પુકાર ”  સાંભળી

મારો “ હાસ્ય દરબાર ” માં

 “ વિનય- વિવેક ” થી “ જોક્સ ” 

અને “ SMS ”  કરી 

“ શબ્દપ્રીત ” થી

“ લેસ્ટર ગુર્જરી, નેટ ગુર્જરી ” દ્વારા

“ આપણાં ગુજરાત ” માં

“ ગુજરાતી પ્રતિભા પરિચય ”    

આજ “ ધૂમકેતુ ” ની

માફક  ચમકી રહ્યો છે.

“ દાદીમાંની પોટલી ” થી

“ શિક્ષણ સરોવર ”   

“ જ્ઞાનનું ઝરણું ” બનીને

એક “ ડગલો ” 

આગળ વધે છે ત્યારે

આ “ મધુવન ” ના

 “ કુરૂક્ષેત્ર” માં

“ મારા વિચારો, મારી ભાષામાં ”

“ ગુજરાતી કવિતા અને ગઝલ ”

સ્વરૂપે રજુ કરવા

“ મારી બારી ” માંથી

આ “ કવિલોક ” માં

“ બાળકોના કલરવ ” ની

 “ શરૂઆત દૈનિક ” “ મારી રોજનીશી ”

લખીને તથા “ વાત મારી મરજીની ” કરી

 “ જીવન ” “ સાર્થક ” 

કરવાના “ સંકલ્પ ” સાથે

આપની સાથે “ સેતુ ” જોડવા આવ્યો છું.

“ મન, માનસ અને માનવી ” 

પર “ અસર ” થી  

 “ મારા સતસંગ ” માં

“ વિવિધ રંગો ભરીને ”

“ સામજિક ” સંબંધોથી

“ ફન જ્ઞાન ” વિકસાવવા

“ વિચારોના વૃંદાવન ” ના

આ “ ચિંતન જગત ” માં

“ ગદ્યસુર ” ના “ સહિયારા સર્જન ”

સ્વરૂપે “ જરા અમથી વાત ”

લઈ આવ્યો છું.

“ અરવિંદ અડાલજા ” ની

“ અંતરંગ વાર્તા ” નું “ પ્રત્યાયન ”  કરી

પી.યુ.ઠક્કરની તથા દાવડા સાહેબની ” સંતવાણી ” ની 

“ અંતરના ઉંડાણમાંથી ”

“ શબ્દ સરોવર ” ના  

“ ભજનામૃત ” થી “ મને ગમતુ ” બનાવી

“ અભિવ્યક્તિ ” ની “ પરમ સમીપે ”

“ પરાર્થે સમર્પણ ” ની ભાવનાથી

પ્રેરાઈને “ આજની વાત ” કરવા આવ્યો છું.

ભવિષ્યમાં “ નિવૃત્તિની પ્રવૃત્તિ ”  માટે

“ વિનોદ વિહાર ” ની સફરમાં

“ શકીલની વિડિયો ગ્રાફી ”  દ્વારા  

“ ગુર્જર કાવ્ય ધારા ” માં

“ સ્નેહનો સેતુ ” ના

“ એક ઘા ને બે કટકા ” કરવાનો

મારો આ પ્રથમ “ પ્રયાસ ”  છે.

મારા “ શિક્ષણ સરોવર ” ની

તૃતીય જન્મદિને

“ ખુલ્લી આંખના સપના ” જોવા

” તુલસી દળ “ 

“ વીણેલા મોતી ” થી બનાવેલ

“ પિયુનીના પમરાટ ” જેવો

“ ગઝલોનો ગુલદસ્તો ”  લઈ

“ મા ગુર્જરીના ચરણે ”

વંદન કરતો

ડૉ. કિશોર પટેલ  

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું.) 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…!

!…બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો…! 

ઝરણુંમાં ઝરણું ભળે તો

સરોવર બની જાય,

માનવમાં મહેક ભળે તો

માનવ પણ દેવ બની જાય,

શિક્ષકમાં સ્નેહ ભળે તો

શિક્ષક પણ પ્રભુ બની જાય,

કાર્યમાં નિષ્ઠા ભળે તો

કર્મયોગી બની જાય,

અજ્ઞાનીમાં જ્ઞાન ભળે તો

 જ્ઞાનનું સરોવર બની જાય,

વાણીમાં મીઠાશ ભળે તો

તો તે આકાશવાણી બની જાય,

રચનામાં “ આપના સૂચન ” ભળે તો

તો અમ અજ્ઞાનીને જ્ઞાન મળી જાય,

બ્લોગરોને આ પોસ્ટ દિલમાં ભળે તો

તો અમ જેવાને કોમેન્ટ મળી જાય. 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગતનો હું ઋણી છું. )

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

Follow

Get every new post delivered to your Inbox.

Join 63 other followers