!…આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે…!


!…આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે…!

આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે,

એમનો પ્રેમ મને વહેંચે તો બસ છે.

 

એમના પ્રેમરસનો રસાસ્વાદ સરસ છે,

રસાસ્વાદમાં વહેવામાં જ મને રસ છે.

 

બાકી તો જીવન મારૂ આજ નિરસ છે,

એમના સ્પર્શથી જીવન બને પારસ.

 

આદિલને આ ‘ દિલ ‘ મળવા તરસે,

શબ્દ સ્વરૂપે મળે તોય મને બસ છે.

 

એમને આવકારવા હાથમાં છે શ્રીફળ,

લાગે છે મને કે થઈશ હું એક દિ’ સફળ.

 

આ ‘ દિલ ‘ ને વિશ્વાસ છે મારામાં,

કિશોર કહે મને વિશ્વાસ છે તારામાં.

*********************************

ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત

 

 

9 responses to this post.

  1. આદરણીય શ્રી કિશોરભાઈ .

    એમને આવકારવા હાથમાં છે શ્રીફળ,

    લાગે છે મને કે થઈશ હું એક દિ’ સફળ.

    જરૂર સફળ થશો. શ્રીનું ફળ લઈને ઉભાચો તો તમારી મહેચ્છા પૂરી થશે.

    ખુબ જ સરસ.

    Like

    Reply

  2. ‘આદિલ’પ્રત્યેની આપની ભાવનાની કદર રૂપે,આપને અભિનંદન.

    Like

    Reply

  3. આ ‘ દિલ ‘ ને વિશ્વાસ છે મારામાં,

    કિશોર કહે મને વિશ્વાસ છે તારામાં.

    *********************************

    ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
    ………………………………………………………….
    Very nice….આપને અભિનંદન.
    Ramesh Patel(Aakashdeep)

    Like

    Reply

  4. Posted by NISHIL on 10/02/2011 at 1:13 pm

    આદિલ ને આદિલ જરૂર પહોચશે.

    Like

    Reply

  5. આદિલને આ ‘ દિલ ‘ પહોંચે તો બસ છે,
    એમનો પ્રેમ મને વહેંચે તો બસ છે.

    એમના પ્રેમરસનો રસાસ્વાદ સરસ છે,
    રસાસ્વાદમાં વહેવામાં જ મને રસ છે.

    અપેક્ષા. ઉપેક્ષા અને આશા માં જરૂર આશા સફલા થશે.

    સરસ પ્રયત્ન !

    Like

    Reply

  6. એમનો પ્રેમ મને વહેંચે તો બસ છે.
    ખુબ સુંદર રચના કિશોરભાઈ…..

    Like

    Reply

  7. Posted by gujaratikavitaanegazal on 30/04/2011 at 9:42 am

    બાકી તો જીવન મારૂ આજ નિરસ છે,

    એમના સ્પર્શથી જીવન બને પારસ.

    આદિલને આ ‘ દિલ ‘ મળવા તરસે,

    શબ્દ સ્વરૂપે મળે તોય મને બસ છે.
    whah kishorebhai maja avi gaui

    Like

    Reply

  8. આ દિલ વહેવું છે શબ્દ થઇ મને તારા માં,
    તારા સ્નેહ નો સ્પર્શ મળે તો પણ બસ છે,
    સીમા દવે

    Like

    Reply

Leave a comment