!…સંત સમીપ જવા માટે છે વસંત…!
માનવ તું રહે સદાય પ્રભુની છાયામાં,
ન રહેતો કદી પૈસાની મોહમાયામાં
લોભ કદી કરતો નથી, માણસ ભલો,
કાયા ચાલી જશે ને રહી જશે પડછાયા
વસંત લાવે પ્રેમ આ ધરતી પર,
કરી લે માનવને પ્રેમ તું રતીભાર
પ્રેમને બે દ્વાર છે, એક
સૌ પ્રથમ આપો, બીજા હાથે મેળવો
પ્રેમની ચાદર બિછાવી તો જો,
તો તારે દર દર ભટક્વું ન પડે
પ્રેમનો સંદેશો છે વસંત,
પ્રેમનું મિલન છે વસંત
સંત સમીપ જવા માટે છે વસંત,
મોક્ષ પામવા છે, છે સંત જેવી વસંત
અમાપ ગુણોનો ભંડાર છે વસંત,
માનવ તું જીવનમાં કંડારશે પ્રેમ
**********************************
ડૉ.કિશોરભાઈ એમ.પટેલ
પ્રતિભાવો…