!…પ્રભુ રામના “ વિષ + રામ ”…!
હવે તો માંગુ છું,
મા ગંગાની ગોદમાં
અંતિમ વિરામ,
કારણ કે “ વિ + રામ ” માં
પ્રભુ “ વિષ્ણુ ” સમાન
“ રામ ” સામાયેલ છે,
કરવો હતો વિશ્રામ
કારણ કે “ વિષ + રામ ” માં
પ્રભુ રામનો રામેશ્વર છે,
આરામ કહે છે કે
“ આ + રામ ” માં
આદ્યશક્તિ સમાયેલ છે,
કિશોર શોર મચાવીને કહે છે કે
“ રા ” બોલાતા મોઢુ ખુલે છે,
“ મ ” બોલતા મોઢુ બંધ થાય છે.
+++++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગત તેમજ સાઈટોનો ખુબ ખુબ ઋણી છું. )
ખાસ નોંધ :
જીવનમાં કદાપિ આરામ, વિરામ, વિશ્રામ કરવો ન જોઈએ તથા ” પરિશ્રમ એજ પારસમણિ ” આ જગતના તમામ ભગવાનો કહે છે.
શબ્દોનો હકારત્મક અર્થ લઈ રચના બનાવવાનો પ્રયત્ન કરેલ છે.
ડો.કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
Posted by chandravadan on 04/11/2011 at 1:51 am
કાવ્યરૂપે તમે રામનો મહિમા કહી દીધો.
રામનામ “સ્મરણ કે લેખનમાં અનોખી શક્તિ છે.
રામનો શ્રધ્ધા સહીત “પૂકાર” કે “વિચાર” મનોકામનાઓ પુર્ણ કરે છે..
એ જ ખરી ભક્તિ !
>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
LikeLike
Posted by પરાર્થે સમર્પણ on 04/11/2011 at 11:39 am
માનનીય શ્રી કિશોરભાઈ,
કિશોર શોર મચાવીને કહે છે કે
“ રા ” બોલાતા મોઢુ ખુલે છે,
“ મ ” બોલતા મોઢુ બંધ થાય છે.
સુનાદ્ર અને જડબેસલાક અવલોકન અને એ પણ સો ટકાના સોના જેવું.
વાહ કિશોરજી વાહ..
LikeLike
Posted by અશોકકુમાર - 'દાદીમા ની પોટલી' on 04/11/2011 at 2:49 pm
આદરણીય ડૉ.કિશોરભાઈ,
નામ ના અક્ષર બે જ છે,પરંતુ મહિમા અને મહત્વ જીવન માટે બહુજ છે , જે રામ મહિમા ને સુંદર રીતે રચનામાં દર્શાવ્યો છે..
ધન્યવાદ!
LikeLike
Posted by અશોક મોઢવાડીયા on 05/11/2011 at 1:04 pm
શ્રી.કિશોરભાઈ, નમસ્કાર.
વાહ ! અત્યોત્તમ ભાવ પ્રગટ થયો છે. આરામ, વિરામ, વિશ્રામના હકારાત્મક ભાવ સુંદર લાગ્યા. આભાર.
LikeLike
Posted by harshadbrahmbhatt on 08/11/2011 at 9:23 am
grat………..grat i prud of gujartie of you
LikeLike
Posted by આપણુ ગુજરાત on 10/11/2011 at 11:25 pm
શુભ દેવ દિવાળી કિશોરભાઈ
LikeLike