!…પ્રભુ રામના “ વિષ + રામ ”…!


!…પ્રભુ રામના “ વિષ + રામ ”…!

હવે તો માંગુ છું,

મા ગંગાની ગોદમાં

અંતિમ વિરામ,

કારણ કે “ વિ + રામ ” માં

પ્રભુ “ વિષ્ણુ ” સમાન  

રામ ” સામાયેલ છે,

 

કરવો  હતો વિશ્રામ

કારણ કે “ વિષ + રામ ” માં

પ્રભુ રામનો રામેશ્વર છે,

 

આરામ કહે છે કે

આ + રામ ” માં

આદ્યશક્તિ સમાયેલ છે,

કિશોર શોર મચાવીને કહે છે કે

રા ” બોલાતા મોઢુ ખુલે છે,

”  બોલતા મોઢુ બંધ થાય છે.

 

+++++++++++++++++++++++++++++++++++++++

( ચિત્ર બદલ ગુગલ અને નેટ જગત તેમજ સાઈટોનો ખુબ ખુબ ઋણી છું.

ખાસ નોંધ :

જીવનમાં કદાપિ આરામ, વિરામ, વિશ્રામ કરવો ન જોઈએ તથા ” પરિશ્રમ એજ પારસમણિ ” આ જગતના તમામ ભગવાનો કહે છે.

શબ્દોનો હકારત્મક અર્થ લઈ રચના બનાવવાનો પ્રયત્ન કરેલ છે. 

ડો.કિશોરભાઈ એમ.પટેલ

આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

6 responses to this post.

  1. Posted by chandravadan on 04/11/2011 at 1:51 am

    કાવ્યરૂપે તમે રામનો મહિમા કહી દીધો.

    રામનામ “સ્મરણ કે લેખનમાં અનોખી શક્તિ છે.

    રામનો શ્રધ્ધા સહીત “પૂકાર” કે “વિચાર” મનોકામનાઓ પુર્ણ કરે છે..

    એ જ ખરી ભક્તિ !

    >>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

    Reply

  2. માનનીય શ્રી કિશોરભાઈ,

    કિશોર શોર મચાવીને કહે છે કે

    “ રા ” બોલાતા મોઢુ ખુલે છે,

    “ મ ” બોલતા મોઢુ બંધ થાય છે.

    સુનાદ્ર અને જડબેસલાક અવલોકન અને એ પણ સો ટકાના સોના જેવું.

    વાહ કિશોરજી વાહ..

    Like

    Reply

  3. આદરણીય ડૉ.કિશોરભાઈ,

    નામ ના અક્ષર બે જ છે,પરંતુ મહિમા અને મહત્વ જીવન માટે બહુજ છે , જે રામ મહિમા ને સુંદર રીતે રચનામાં દર્શાવ્યો છે..

    ધન્યવાદ!

    Like

    Reply

  4. શ્રી.કિશોરભાઈ, નમસ્કાર.
    વાહ ! અત્યોત્તમ ભાવ પ્રગટ થયો છે. આરામ, વિરામ, વિશ્રામના હકારાત્મક ભાવ સુંદર લાગ્યા. આભાર.

    Like

    Reply

  5. grat………..grat i prud of gujartie of you

    Like

    Reply

  6. શુભ દેવ દિવાળી કિશોરભાઈ

    Like

    Reply

Leave a comment