!… સારા નેતા શોધવા જાશું તો થાકી જઈશું…!
સારા નેતા શોધવા જાશું તો થાકી જઈશું,
પણ નેતાઓમાં સારૂ શું છે,
તે શોધીશું તો ફાવી જઈશું.
સારા માણસો શોધવા જાશું તો થાકી જઈશું,
પરંતુ માણસોમાં સારૂ શું છે,
તે શોધીશું તો ફાવી જઈશું.
નેતાઓના વચનો ગણવા જઈશું તો થાકી જઈશું,
પરંતુ કેટલા વચનો પાળે છે,
તે શોધીશું તો ફાવી જઈશું.
ભ્રષ્ટાચાર કોણે કર્યો તે ગોતવા જાશું તો થાકી જઈશું,
પરંતુ કોણે ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે,
તે શોધીશું ફાવી જઈશું.
કોનામાં નૈતિકતા છે. તે શોધવા જાશું તો થાકી જઈશું,
પરંતુ કોણે નૈતિકતા જાળવી છે.
તે શોધીશું તો ફાવી જઈશુ.
અભદ્ર ભાષા કોણ બોલે છે. તે શોધવા જાશું તો થાકી જઈશું,
પરંતુ કોણ અભદ્ર ઓછી બોલે છે.
તે શોધીશું તો ફાવી જઈશું.
કિશોર કહે કોને મત આપવો તે ચર્ચીશું તો થાકી જઈશું,
પરંતુ આપણાં વિસ્તારમાં કયા-કામો કેટલા થયા,
તે શોધીશું તો ફાવી જઈશું.
+++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )
ડો. કિશોરભાઈ એમ.પટેલ
Posted by DR. CHANDRAVADAN MISTRY on 18/11/2012 at 5:43 am
કિશોર કહે કોને મત આપવો તે ચર્ચીશું તો થાકી જઈશું,
પરંતુ આપણાં વિસ્તારમાં કયા-કામો કેટલા થયા,
તે શોધીશું તો ફાવી જઈશું.
The Soul searching on the Election Day…Then & then VOTE !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to read the OLD Posts !
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 18/11/2012 at 8:40 pm
આદરણીયશ્રી. ડૉ. પુકાર સાહેબ
આપના ઉષ્માભર્યા સંદેશા બદલ આભાર
LikeLike
Posted by અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી' on 18/11/2012 at 6:10 pm
આદરણીય ડૉ. કિશોરભાઈ,
સારા માણસો શોધવા જાશું તો થાકી જઈશું,
પરંતુ માણસોમાં સારૂ શું છે,
તે શોધીશું તો ફાવી જઈશું.
ખૂબજ સુંદર વાત રચના દ્વારા કહી આપે,…!
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 18/11/2012 at 8:41 pm
આદરણીયશ્રી. અશોકભાઈ સાહેબ
આપના ઉષ્માભર્યા સંદેશા બદલ આભાર
LikeLike
Posted by Ramesh Patel on 19/11/2012 at 1:57 am
ડોશ્રી કિશોરભાઈ પટેલ
સત્ય દર્શન. આજના જમાનાની આપે સાચી ઓળખ આપી છે.
ચૂંટણીની પણ એક અનેરી મજા છે. ..લોકોત્સવ છે..મનભરીને માણીએ
અને પ્રજા તરીકે વિવેક વાપરીએ. આપની કવિતા ગમી.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 20/11/2012 at 10:00 pm
આદરણીયશ્રી. આકાશદીપ સાહેબ
આપની પ્રેરનાત્મક સંદેશાથી હું ભાવવિભોર બની ગયો, આભાર
LikeLike
Posted by narendra jagtap on 22/11/2012 at 7:03 pm
સારા માણસો હવે નેતા બનવા તૈયાર નથી…પણ નેતા બનવા તૈયાર થયેલા જોશો તો થાકી જઇશું ……. સરસ વિચારો સાથેની સુંદર કૃતી ……..
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 22/11/2012 at 9:26 pm
આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ
આપના પ્રેરણાભર્યા શબ્દો વાંચીને હું ખુબ જ ખુશ થઈ ગયો,
આવી પ્રેરણાની વર્ષા હંમેશા કરતા રહેશોજી.
LikeLike
Posted by પરાર્થે સમર્પણ on 25/11/2012 at 8:03 am
માનનીય શ્રી કિશોરભાઈ,
કોનામાં નૈતિકતા છે. તે શોધવા જાશું તો થાકી જઈશું,
પરંતુ કોણે નૈતિકતા જાળવી છે.
તે શોધીશું તો ફાવી જઈશુ.
આ હાર નેતા હોધવા જતા જન્મારો વીતી જાહે અને આપના સોકરાંના સોકરા આવશે તોય
હર નેતા નઈ મળે. મારા વા’ લા ભૂખડી બરહના અવતાર જેવા સે. બોલ્વાનુય ભાન નથ.
( અત્યારે રાજકારણમાં ઓછા ભણેલા નેતાઓ હોય છે એટલે અએ ભાષામાં લખ્યું છે )
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 25/11/2012 at 10:38 am
આદરણીયશ્રી. સ્વપ્નજી
આપની કોમેન્ટસ વાંચી આનંદ મંગલ થઈ ગયો.
આપની બન્ને પ્રકારની કોમેન્ટસથી પ્રભાવિત થઈ ગયો,
ગઈકાલે કયા પક્ષમાં કેટલા ભણેલા ઉમેદાવારો છે તે આપેલ છે,
તેઓ આપણી ઉપર રાજ કરશે.
આ શું દશા અને દિશા બદલવાના.
LikeLike
Posted by P.K.Davda on 10/10/2013 at 6:05 am
બધા બ્લોગ વાંચવા જઈશું તો થાકી જઈશું,
શિક્ષણ સરવર વાંચવા જઈશું તો ફાવી જઈશું !!
LikeLike
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 10/10/2013 at 9:34 pm
સાહેબ…
આપના શબ્દો વધુને વધુ પ્રેરણા આપે છે.
LikeLike