!… “ મળવા જેવો માણસ ” આદરણીય દાવડાજી…!


!… “ મળવા જેવો માણસ ”  આદરણીય દાવડાજી…! 

333 

નીકળી મુંબઈથી સવારી

અમેરિકા તરફ અણધારી

કુટુંબ કબીલાને મળવા,

 441

આદરણીય દાવડાજી

મળવા જેવો માણસ

થયો આનંદ માણીને,

 

માનવતાની મહેક ફેલાવી

અનેક દિલોમાં ચેતના જગાવી, 

 

સાદગી, સંયમની પ્રતિભા

સ્પષ્ટ લખતા અને વક્તા 

 

મુજ ગૃહે વર્ષાંતે

ઓચિંતિ દુરભાષ રિંગ રણકે

મીઠી-મધુરી વાણી ટહુકે,

માણી એમની વાણી

કરાવી પરિચયોની લ્હાણી,

કવિશ્રી મહિપતરામ કહે છે,  

જાણીતો ન હતો પંથ,

જોઈને જાણીતો થયો,

 જાણીતા  થઈને,

કીધા  જાણીતા  સૌને,

 442

ભાષા અને માતૃભૂમિની ભવ્યતા

લેખો વાંચીને દેખાય એમની સભ્યતા,   

 

બીજાને સમર્પિત એમની કલમ

વ્હાલમને મારા કોટિ કોટિ સલામ,

++++++++++++++++++++++++++++++++

ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

શ્રીમતી આઈ.એન.ટેકરાવાળા હાઈસ્કુલ, રાંદેરરોડ, સુરત

( ચિત્રો આપવા બદલ ગુગલ મહારાજ કી જય હો

10 responses to this post.

  1. Posted by P.K.Davda on 21/07/2014 at 5:30 am

    કિશોરભાઈ, મારી પાસે તમારો આભાર માનવા શબ્દો નથી. તમારા જેવા સજ્જન મિત્રોની પ્રેરણાથી જ આ બધું શક્ય થયું છે.

    Like

    Reply

    • શ્રીમાન. દાવડા સાહેબ

      આપ દ્વારા પ્રસ્તુત શ્રેણી ” મળવા જેવા માણસ ”

      પોતાના માટે બધાજ લખે પરંતુ બીજા લખવું એ ખુબ જ મુશ્કેલ કામ છે.

      જે આપે ગુજરાતી સમાજને એકબીજાની નજીક લાવી દીધા છે.

      એક બીજાના દિલમાં સ્થાન બનાવી લીધુ છે, આ શ્રેણી દ્વારા.

      આપને ખુબ ખુબ અભિનંદન સાહેબ.

      Like

      Reply

  2. માનવતાની મહેક ફેલાવી
    અનેક દિલોમાં ચેતના જગાવી,

    સાદગી, સંયમની પ્રતિભા
    સ્પષ્ટ લખતા અને વક્તા

    આદરણીય શ્રી કિશોરભાઈ, ખૂબજ ઉત્તમ રચના અને આદરણીય વડીલ શ્રી દાવડાજી માટે ખૂબજ સુંદર ભાવ અને યોગ્ય સમયે આપના દ્વારા રજૂ કરવામાં આવેલ છે. તેઓની નમ્રતા સાથે સાલસતા ખૂબજ છે કે જેઓ દ્વારા અનેક વ્યક્તિત્વ ને મળવા જેવાં માણસ ની શ્રેણીમાં સ્થાન આપી અને યોગ્ય પરિચય નેટ જગતમાં કરાવવા સતત કોશિશ કરેલ છે. (અહીં એ જરૂરી નથી કે આપણે આપણી જાતને મળવા જેવાં માણસ તરીકે ઓળખાવી શકવા કેટલા યોગ્ય છીએ !?) તેમની ભાવનાની કદર કરવી જરૂરી છે.

    ધન્યવાદ.

    Like

    Reply

  3. Posted by chandravadan on 26/07/2014 at 6:07 pm

    આદરણીય દાવડાજી
    મળવા જેવો માણસ
    થયો આનંદ માણીને,
    So happy to know Davdaji…& be a friend !
    Nice Kavya Post !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

    Reply

  4. દીલ તો દાવડાજીનુ

    કલમ તો દાવડાજીની

    લેખન તો દાવડાજીનુ

    સમર્પણ પણ દાવડાજીનુ.

    Like

    Reply

  5. Posted by nabhakashdeep on 07/08/2014 at 10:51 am

    આદરણીય શ્રી દાવડાજી એટલે સમાજના પ્રવાહોને ઝીલનારા, જાણનારા ને સહભાગી બની છલકનારા. તેમણે તેમની કલમ દ્વારા ‘વતનની રસધારા’ વહાવી એક સેતુ બાંધી દીધો.આજે તેમના વ્યક્તિત્ત્વને માણતાં અનહદ આનંદ થયો.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    Reply

    • આદરણીયશ્રી. આકાશદીપ સાહેબ

      આપના પાવન પગલાં શ્રી. દાવડા સાહેબના માધ્યમ દ્વારા પ્રાપ્ત થયા,

      ખુબ જ આનંદ થયો સાહેબ ,

      સાહેબ આપના સ્નેહની મને ખુબ જ જરૂર છે, આવી મહેર હંમેશા રાખશોજી.

      Like

      Reply

Leave a reply to અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી' Cancel reply