વ્યાકરણ કાવ્ય
” જોડણી ” દ્વારા સૌને જોડતા રહીએ,
આમેય ” વિશેષણો ” ની ક્યાં ખોટ છે,
” સંધિ ” દ્વારા સંબંધો જોડાતા હોય તો,
” સંધિ ” છૂટી પાડતા શું વાર લાગે છે,
પહેલાં ” ઉપનામો ” શોધવામાં સમય વહી જતો,
હવ, તો ” ઉપનામો ” નો ખજાનો મળી ગયો,
મોટા મોટા ” પાઠ ” ભણાવવા કરતાં તો,
નાની નાની ” કવિતા ” ભણાવવી શું ખોટી,
પહેલાં ” અલંકાર ” કેટલા મોંઘા હતા,
હવે તો ” અલંકાર ” સસ્તા થઈ ગયા,
પદ આગળ ” ક્રિયાપદ ” નાના થઈ ગયા,
” કર્તા, કર્મણી, સર્વનામ ” શોધતો રહી ગયો,
” વાચકો અને યાચકો ” ની આ યાત્રામાં,
” ભાવવાચક ” ની ભાવના વિસરાઈ ગઈ,
આખી જીંદગી પાઈ – પાઈ ભેગી કરવામાં,
” ચોપાઈ ” લખવાની ચતુરાઈ ચાલી ગઈ,
નિવૃત્તિમાં પ્રવૃત્તિનો ” અલ્પવિરામ ” લઈ,
” પૂર્ણ વિરામ ” થી પાઠો ભણાવીએ.
***************************************
ડો. કિશોરભાઈ એમ. પટેલ
નિવૃત્ત શિક્ષક
Posted by raveshias on 30/11/2019 at 6:45 pm
એક નિવૃત શિક્ષકના મન અને હૃદયની વ્યથા આપશ્રીએ ખૂબ સુંદર રીતે વર્ણવી છે!!
કવિતા, લેખ કે નિબંધ કઈં પણ કહો, આજના વિદ્યાર્થી ક્યાં શીખે છે કે ભણે છે??
ફક્ત ગોખણીયું જ્ઞાન વેંચાય છે શાળા કે કોલેજ નામના વ્યાપારિક સંકુલોમાં…
LikeLiked by 1 person
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 01/12/2019 at 4:47 pm
મિત્ર સાચી વાત છે,
આપનો ખુબ ખુબ આભાર, આપના પાવન પગલાં હંમેશા પાડતા રહેશોજી.
LikeLike
Posted by चेतन ठकरार on 30/11/2019 at 8:58 pm
વાહ… ખૂબ ખૂબ ખુબજ સરસ…
LikeLiked by 1 person
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 01/12/2019 at 4:50 pm
મિત્ર,
આપની પ્રેરણાં હંંમેશા સરાહનીય, આભાર
LikeLike
Posted by vimala Gohil on 01/12/2019 at 3:01 am
” વાચકો અને યાચકો ” ની આ યાત્રામાં,
” ભાવવાચક ” ની ભાવના વિસરાઈ ગઈ,
LikeLiked by 1 person
Posted by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ on 01/12/2019 at 4:51 pm
હા, હા, ………!
આપનો ખુબ ખુબ આભાર
LikeLike