આદરણીયશ્રી. વાચકમિત્રો
પૂજ્ય મોરારી બાપુનો જન્મદિવસ તા. 25 / 9 છે. કમ્પ્યુટર ખામીને લઈ આ રચના મુકી શકેલ નથી, તો ક્ષમાયાચના સહ…!
!…મોરારી બાપુને જન્મદિન મુબારક હો…!
બાપુએ જગમાં પ્રસિધ્ધ કરી રામ કથા
કથા કરીને દુર કર્યા લોકોના થાક
જગમાં રામ ધુન લગાવી
દિલમાં ભક્તિની જ્યોત જગાવી
બાપુને દિલમાં વહે રક્તરૂપી રામનામ
બાપુના રોમે રોમમાં રામ ભક્ત હનુમાન
રામ નામની ધૂણી ધખાવી
દિલમાં રામનામ સજાવી
ભરતના ભારતની
જગમાં શાન બનાવી
રામનામથી શ્રધ્ધાના દીવડા સળગાવી
માતા શબરીની ભક્તિને શબ્દોથી શણગારી
બાપુ કહે મારે તો લઈ જવા આ લોકને
શ્ર્લોકના માધ્યમથી દિવ્ય લોકમાં
કિશોર કહે, ભારત માતાના નંદનને
જન્મદિને કોટિ કોટિ વંદન
+++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )
ડો. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા, રાંદેરરોડ, સુરત
પ્રતિભાવો…