!…માતા એ પ્રેમની યુનિવર્સિટી છે…!
માતા એ પ્રેમ નામની યુનિવર્સિટી ચલાવે છે,
તેમાં દરેક પ્રકારના સ્નાતક, અનુસ્નાતક કક્ષાના કોર્ષો ચાલે છે,
પણ બાળકે યોગ્ય કોર્ષ પસંદ કરવાનો છે.
આ કોર્ષોમાંથી કેટલાક કોર્ષો 5 વર્ષ માટેના તો કેટલાક
આજીવન ચાલતો અભ્યાસક્રમ છે.
સહકાર, ધગશ, ધૈર્ય, સહનશીલતા એ સર્વે ડિપ્લોમાં ટાઈપ ચાલતા કોર્ષ છે.
આ કોર્ષોમાં પ્રમાણિકતા, સંસ્કાર, સત્યના પાઠો, હકારાત્મક અભિગમ,
બીજાને મદદરૂપ થવાની ભાવના, દેશપ્રેમ, એકતા વિગેરે અનેક અભ્યાસક્રમ ચાલે છે.
મેડીકલ કે ઈજનેરી વિદ્યાશાખામાં ન ચાલતા હોય તેવા કોર્ષો આ
યુનિવર્સિટીમાં ચાલે છે. તેમાં આપણે કેટલા સફળ થઈએ છીએ,
તે જોવાનું કામ સમય આવ્યે આપણે સમાજને કરી બતાવવાનું છે.
કહેવાય છે કે “ ઈશ્વર તો સુખ અને દુ:ખ બંને આપે છે,
જયારે માતા તો પોતાના બાળકને માત્ર સુખ અને સુખ જ આપે છે.”
દુ:ખને એ પોતાના હૈયામાં સમંદરની માફક સમાવી લે છે.
મે એમ સાંભળ્યુ છે કે ડૉકટરી સારવાર વખતે “ ICU ” માં દરદી હોય ત્યારે
તેની સલામતીની વધુ કાળજી લેવાતી હોય છે, તેવી જે રીતે બાળક જ્યારે
માતાના ખોળામાં હોય ત્યારે સૌથી વધુ સલામત હોય છે.
અંતે મારે એટલું જ કહેવું છે કે શક્ય હોય એટલું પાલન કરવું,
થઈ શકે તેટલુ કરવું, હું કોઈ આદર્શવાદી વિચારસરણીવાળો વ્યક્તિ નથી.
મને લખતા લખતા જે વિચારો આવ્યા તે લખી નાંખ્યા…!
“ જય જય ગરવી ગુજરાતીઓ”
++++++++++++++++++++++++++++++++++++++++++
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા, રાંદેરરોડ, સુરત
પ્રતિભાવો…