!!…ગાયત્રી મહામંત્ર…!!
ગાયત્રી મહામંત્ર
ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ !!
ૐ :– એ પરમાત્માનું આદિ નામ છેઓ (શ્રેષ્ઠ છે)
ભૂર્ :– જે સર્વે પ્રાણીઓને જીવિત રાખે છે.
ભુવ :- જે પોતાના ભક્તનાં સર્વ દુ:ખો દૂર કરે છે.
સ્વ :– જે સર્વ જગતને ગતિ આપે છે. (ચલાવે છે)
તત્ :- તે. (ભગવાન ભાસ્કર )
સવિતુર્ :– સર્વ જગતને ઉત્પન્ન કરનાર.
વરેણ્યમ્ :-અત્યંત આનંદદાયક
ભર્ગો :- તેજ (પ્રકાશ)
દેવસ્ય :- દેવનું.
ધીમહિ :– અમે ધ્યાન ધરીએ છીએ.
ધિયો :- બુદ્ધિને.
યો :– જે
ન: :– અમારી
પ્રચોદયાત્ :– પ્રેરણા કરે.
::: ભાવાર્થ :::
જે સર્વ પ્રાણીઓનું જીવન છે.
જે પોતાના દરેક ભક્તોનો સર્વ દુ:ખોનું નિવારણ કરનાર અને
જે સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર તેમજ ચલાવવનાર છે.
તે ભગવાન સૂર્ય નારાયણના અત્યંત આનંદદાયક તેજ (પ્રકાશ) નું
અમે ધ્યાન ધરીએ છીએ અને એવા ભગવાન સવિતાદેવ અમારી બુધ્ધિમાં પ્રેરણા કરો.
:: ગાયત્રી જ્ઞાનપ્રસાદી ::
::: સૌજન્યતા :::
આદરણીયશ્રી. કાંતિભાઈ કરસાળા
રજુઆતકર્તાઃ ડો. કિશોરભાઈ એમ.પટેલ
આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯
Posted by ankit.k on 20/01/2010 at 6:58 pm
thank you for such words…
LikeLike
Posted by KANTILAL KARSHALA on 20/01/2010 at 9:40 pm
જય ગુરુદેવ,
આજે વસંતપંચમી ઉંમગ ઉલ્લાસનો દિવસ છે, પ્રેરણાનો દિવસ છે, પ્રકાશનો દિવસ છે. પ્રકૃતિ પોતાનું સંપૂર્ણ સૌંદર્ય વસંતના સ્વાગત માટે લઈને આવે છે.
પં.શ્રીરામ શર્મા આચાર્યનો આધ્યાત્મિક દિવસ છે, જેમાં ઘેર ઘેર ગાયત્રી મંત્રને પહોંચાડેલ, અને સદ્દબુદ્ધીની સ્થાપના કરવા અને અ
જ્ઞાનને દૂર કરવા માટેનો સર્વે શ્રેષ્ઠ દિવસ છે.
આ ઈશ્વરીય કાર્યમાં આપે ભાગીદારી નોંધાવી છે. એ એક ઈશ્વરીય પ્રેરણારૂપ છે. આ વિચાર ક્રાંતિ અભિયાનમાં સહભાગી થશો..
કાંતિભાઈ કરસાળા,
http://gayatrigyanprasad.org/
http://gaytrignanmandir.wordpress.com/
LikeLike
Posted by Ramesh Patel on 20/01/2010 at 9:40 pm
To day is happiest day for me after reading this blessings.
Thanks to kantibhai and kishorbhai.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
Posted by પરાર્થે સમર્પણ on 02/02/2011 at 12:42 pm
આદરણીય શ્રી કિશોરભાઈ,
વસંતના વધામણા આનદ અને રંગોના ઉત્સાહને લઈ આવતું પર્વ
LikeLike